- શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પણ દિલ્હી પહોંચ્યા
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ પણ પહોંચ્યા
આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આજે સવારથી જ દિલ્હીમાં દેશ-વિદેશના રાજકીય નેતાઓનું આગમન શરુ થઈ ગયું છે.
શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફને આમંત્રણ મળ્યા બાદ આ અંગે અનેક અટકળો ચાલી હતી જ્યારે અંતે તેઓ ભારત આવવા માટે રાજી થઈ ગયા હતા. શરિફ ભારત આવશે કે કેમ? આ સમાચારે ભારે વેગ પકડ્યા હતો પરંતુ અતે તેઓ આજે દિલ્હી પહોંચી ગયા છે
ઉલ્લેખનીય છે કે આજે દેશ - વિદેશના 3000થી પણ વધુ હસ્તીઓ મોદીના શપથગ્રહણ સમારોહના સાક્ષી બનવાના છે ત્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પણ દિલ્હી પહોંચ્યા છે સાથે સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ, નેપાળના સુશિલ કોયરાલા પણ દિલ્હી પહોંચ્યા છે. હાજર રહેનાર તમામ હસ્તીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે
નેપાળના સુશિલ કોયરાલા
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ